અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામ ખાતે રબારીવાસમાં શ્રી ચેહર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ચેહર માતાજીની સાથોસાથ શ્રી ગોગા મહારાજ પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેક રીતે સામાજિક અને ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે અહીંયા ચૈત્રકવદ પાંચમનો ખૂબ જ અનેરો મહિમા છે, જ્યાં માતાજીના 24મા દિવ્ય પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ તથા સંતો મહંતો તથા ભુવાજીઓના સ્વાગત સમારોહ અને રાત્રીના શક્તિ અને ભક્તિ રૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર દ્વારા સામાજિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં અહીંયા સમૂહ લગ્ન તથા ભાગવત સપ્તાહનું પણ સુંદર આયોજન કરાય છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી લક્ષ્મણભાઈ દેસાઈ તથા શ્રી રાજુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Chehar Goga Dham Mandir Saroda Dholka Celebrated 24th Patotsav 11.04.2023


Shree Chehar Goga Dham Mandir, Saroda, Dholka, 24th Patotsav, 11.04.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed