ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સમૌ ગામમા ઐતિહાસિક શ્રી છબીલા હનુમાનજીનું મંદિર આવેલું છે, જ્યાં શ્રી છબીલા હનુમાનજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિકોત્સવની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે પોષ સુદ આઠમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે દાદાના દિવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય 1070 માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે સુંદરકાંડ, પગપાળા સંઘોના સામૈયા, અન્નકૂટ, 5111 દીવડાની ભવ્ય મહાઆરતી અને લોકડાયરાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હજારોની સંખ્યામા ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી છબીલા હનુમાન ટ્રસ્ટ સમૌના શ્રી બળદેવભાઈ ચૌધરી, શ્રી લાલજીભાઈ ચૌધરી, શ્રી નીતિનભાઈ ચૌધરી, શ્રી શંકરભાઈ ચૌધરી, શ્રી માધુભાઈ ચૌધરી તથા શ્રી રાજુભાઇ જાની દ્વારા આપવામા આવી હતી

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Chhabila Hanuman Trust Samau Celebrated 1070th Patotsav on Posh Vad Aatham 15.01.2023


Shree Chhabila Hanuman Trust Samau, Shree Chhabila Hanuman Mandir Samau, Samau, Mansa, Gandhinagar, 1070th Patotsav, Posh Vad Aatham, 15.01.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *