જોટાણા તાલુકાના ખદલપુર ગામ ખાતે શ્રી વારાહી માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે, સમગ્ર ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી આવેલ મંદિરની પાછળની બાજુએ માતાજીના ભવ્ય મંદિરનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજ રોજ શિલાન્યાસ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સવારે શીલાઓની ભવ્ય શોભાયાત્રા, નવચંડી યજ્ઞ તથા ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયુ હતું, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી અંબાલાલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Varahi Mataji mandir, shilanyas, Mahotsav, khadalpur, Jotana,


Shree Varahi Mataji mandir shilanyas Mahotsav khadalpur Jotana

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *