ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામ ખાતે ભાટી રાજપૂત સમાજના કુળદેવી શ્રી સ્વાંગ્યાજી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર પરિસરમાં શ્રી રાધાકૃષ્ણજીનું પણ ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આસો વદ આઠમનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા હોય છે, જ્યાં ભવ્યથી ભવ્ય 14મા પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મંદિર પરિસર ખાતે યજ્ઞ તથા યજ્ઞ પૂર્ણાહુતિ અને મહાપ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી વિક્રમસિંહજી ભાટી તથા શ્રી નટવરસિંહજી ભાટી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Svangya Mataji Mandir Bavla Celebrated 14th Patotsav Aaso Vad Aatham 18.10.2022


Shree Svangya Mataji Mandir, Bavla, 14th Patotsav, Aaso Vad Aatham, 18.10.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *