સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વામોજ ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનુ અતિ પૌરાણિક મંદિર આવેલું છે, સમય જતાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે સુંદર નવિન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે, જેનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જે મહોત્સવ ૧૪ થી ૧૬ મે દરમિયાન યોજાયો હતો, જેમાં પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા દ્વિતીય દિવસે ભવ્ય જલયાત્રા તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, તથા તૃતીય અને અંતિમ દિવસે દિવ્ય મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી મહાકાળી માતાજી, શ્રી ઉમિયા માતાજી, શ્રી બહુચર માતાજી, શ્રી અંબાજી માતાજી, શ્રી રાધા કૃષ્ણ ભગવાનની દિવ્ય મૂર્તિઓની વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દરરોજ અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતુ, જેમાં ડાયરા અને ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર સાગર પટેલ દ્વારા રંગત જમાવી હતી, આ ધાર્મિક કાર્યક્રમમા અનોખી રીતે યજ્ઞશાળા બનાવી હતી, જેમા ગીતાના 700 શ્લોકોના તોરણ સમગ્ર યજ્ઞશાળામા ભરાવ્યા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mahakali & Umiya Mataji Murti Pran Pratishtha Mahotsav Vamoj Himatnagar


Shree Mahakali & Umiya Mataji mandir, Murti Pran Pratishtha Mahotsav, Vamoj, Himatnagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *