ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનુ અતિ પૌરાણિક મંદિર આવેલું છે, કહેવાય છે કે માતાજી અહીંયા ૩૦૦ વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, સમય જતા આ મંદિરનો ભવ્યાતિભવ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને અહીંયા એક સુંદર નવીન મંદિર નિર્માણ કરવામા આવ્યુ છે, જેનો ભવ્યથી ભવ્ય ત્રિદીવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ વિરામ થયો હતો જેમાં આજે ધૃતિ અને અંતિમ દિવસે માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી તથા યજ્ઞ પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી જેમાં સમસ્ત ગ્રામજનો સહિત હજારો લોકો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી વિક્રમસિંહ ચાવડા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakali Mandir Pran Peatishtha Mahotsav Lakroda Mansa
Shree Mahakali Mandir, Pran Peatishtha Mahotsav, Lakroda, Mansa, Gandhinagar,