ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લાકરોડા ગામ ખાતે શ્રી મહાકાળી માતાજીનુ અતિ પૌરાણિક મંદિર આવેલું છે, કહેવાય છે કે અહીંયા માતાજી 300 વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, સમય જતા માતાજીના ભવ્ય મંદિરનું અહીંયા જીર્ણોદ્ધાર કરીને નવ્ય, દિવ્ય અને ભવ્ય મંદિરનુ નિર્માણ કરવામા આવ્યુ છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ થયો હતો, જેમાં પ્રથમ દિવસે ભવ્યાતિભવ્ય યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભની સાથે રાત્રીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમા ગુજરાતના ખ્યાતનામ કલાકારો જીગ્નેશ કવિરાજ, વિશાલ કવિરાજ સહીત અન્ય કલાકારો રંગત બોલાવશે તથા આવતીકાલે ભવ્ય શોભાયાત્રા સહિત તૃતીય અને અંતિમ દિવસે માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવશે તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવશે, આ દરમિયાન રાત્રિના રોજ રોજ અલગ-અલગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત ગામના શ્રી વિક્રમસિંહ ચાવડા દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mahakali Mandir Lakroda Pran Pratishtha Mahotsav


Shree Mahakali Mandir, Lakroda, Pran Pratishtha Mahotsav, Mansa, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed