મહેસાણા જિલ્લાના ગોજારીયા ગામમાં અતિ પૌરાણિક એવું શ્રી વિશ્વકર્મા ભગવાનનું મંદિર આવેલું છે, કહેવાય છે કે સમગ્ર મહેસાણા જીલ્લામા વિશ્વકર્મા દાદા નું મંદિર સૌથી પુરાણુ મંદિર આ એક જ છે, અહીંયા ખાસિયત ની વાત એ છે કે અહીંયા વિશ્વકર્મા દાદા ઉભી પ્રતિમા મુદ્રામા ખુબ જ અલૌકિક અને દિવ્ય રીતે દ્રષ્ટિગોચર થાય છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે વૈશાખ સુદ સાતમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે ભવ્યાતિભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એ જે રીતે આ વર્ષે પણ ભવ્ય ૯૧મા પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ, તથા દ્વિતીય દિવસે અહીંયા નવચંડી યજ્ઞ અને અન્નકૂટ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિરના પ્રમુખ શ્રી દિલીપભાઈ સુધાર તથા ટ્રસ્ટી મંડળ અને શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Vishwakarma Bhagvan Mandir Gojariya Arranged 91th Patotsav


Shree Vishwakarma Bhagvan Mandir Gojariya, Gojariya, Mehsana, 91th Patotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *