ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા ગામ ખાતે અતિ પ્રાચીન અને ઐતિહાસીક શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં કહેવાય છે કે માતાજી ૫૦૦ વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, મંદિર મહાકાળી વડ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે, મંદિર દ્વારા અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણી વર્ષ દરમિયાન કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ અહીંયા 29માં દિવ્ય પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, તથા દ્વિતીય દિવસે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત હજારો ભાવિક ભકતો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી જવાનસિંહ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Mahakali vad Kantharpura Arranged 29th Patotsav

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed