અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના કુજાડ ગામ ખાતે કુબડથલ પાટીયા ઉપર જ શ્રી રામદેવજી મહારાજનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિરનું નિર્માણ પામ્યુ,છે, જેનો સપ્ત દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે, જેમાં શ્રી રામદેવજી મહારાજ સહીત શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી ભોળાનાથની પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનુ આયોજન કરવામાં આવ્યું છે, આજ રોજ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભમા ભવ્ય શોભાયાત્રા તથા શ્રી રામદેવ કથાની પોથીયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


આજ 11 એપ્રિલથી 17 એપ્રિલ દરમિયાન અહીંયા ભવ્યાતિભવ્ય શ્રી રામદેવ કથા તથા 15 16 અને 17 એપ્રિલ દરમિયાન ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતભરમાંથી સંતો-મહંતો સહિત અનેક ભાવિક ભક્તો દર્શન તથા પ્રસાદનો લાહવો માણશે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પરમ પૂજ્ય શ્રી કનકદાસ બાપુ તથા માતાજી સરસ્વતી દેવી દ્વારા આપવામા આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Maharaj Pran Pratishtha Mahotsav Kubadthal Patiya Kujad Dascroi


Shree Ramdevpir Maharaj, Pran Pratishtha Mahotsav, KubadthalcPatiya, Kujad, Dascroi, Ahmedabad, Ramdev katha,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *