તાલુકા-જિલ્લા મહેસાણાના દેવરાસણ ગામ માં આઈશ્રી ખોડિયાર માતાજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસીક મંદિર આવેલું છે, કહેવાય છે કે માતાજી અહીંયા ૩૦૦ વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ મહા સુદ આઠમનો અહીંયા નો મહિમા છે, જ્યાં આજરોજ ભવ્યાતિભવ્ય માતાજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમસ્ત દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તથા સંધ્યા સમયે માતાજીના 1008 દીવાની આરતી કરવામા આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી અંબાદાન ભાઈ ગઢવી, શ્રી મનહરભાઈ ગઢવી તથા જશુભાઈ ગઢવી દ્રારા આપવામા આવી હતી.


તો આવો મહા સુદ આઠમના જન્મોત્સવના દિવસે દિવ્ય દર્શન કરીએ દેવરાસણ ખાતે બિરાજમાન શ્રી ખોડીયાર માતાજીના


જુઓ સંપૂર્ણ એપિસોડ

Aai Shree Khodiyar Mandir Trust Devrasan Arranged Khodiyar Jayanti Mahotsav 2022


Aai Shree Khodiyar Mandir Trust Devrasan, Devrasan, Mehsana, Khodiyar Jayanti Mahotsav, Maha Sud Aatham, Shree Khodiyar Mandir, 2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *