અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં શ્રી ગોગાજી ચૌહાણ ભગવાનનું સુંદર મંદીર આવેલુ છે, જેઓ વાલ્મિકી સમાજ ના ઇષ્ટદેવતા છે, વર્ષોની પરંપરા મુજબ અહીંયા દર વર્ષે શ્રાવણ વદ નોમના દિવસે રાત્રે ભવ્યાતિભવ્ય મેળો ભરાય છે, જેમાં વાલ્મિકી સમાજના લાખો ભાઈ-બહેનો શ્રી ગોગાજી મહારાજના દર્શનાર્થે ઉમટી પડે છે, તેની સાથેજ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ૨૨ જેટલી કલાત્મક અને રોશની કરેલી છડીઓ અહીં નિશાન સ્વરૂપે શ્રી ગોગાજી મંદિરે ચઢાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે આ કોરોનાની મહામારી ના લીધે આ સમસ્ત કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

વિશ્વ વાલ્મિકી ધર્મ સંગઠન દ્વારા આવતી તમામ છડીઓને મોમેન્ટો આપી ને એમનું સન્માન કરવામાં આવે છે, તથા સંસ્થાના હોદ્દેદારો દ્વારા આજે શ્રી ગોગાજી ચૌહાણ મંદિરના લાઈવ દર્શન તથા મંદિરના ઇતિહાસની વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી, જેમા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સુયોગ એસ ચૌહાણ, ઉપાધ્યક્ષ શ્રી વિપુલ એમ ચૌહાણ, સંગઠન મંત્રી શ્રી નીતિન એન સોલંકી, કોષાધ્યક્ષ શ્રી ચિરાગ કે સોલંકી તથા મંદિરના ભગત શ્રી દિલીપ આર વાઘેલા માધુપુરા મોહલ્લા તરફથી જોડાયા હતા.

તો આવો દર્શન કરીએ અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારના શ્રી ગોગાજી ચૌહાણ મંદિરના.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી ગોગાજી ચૌહાણ મંદિર દિલ્હી દરવાજા અમદાવાદ દ્વારા આયોજિત શ્રાવણ વદ નોમના પવિત્ર દર્શન ૨૦૨૦

Shri Gogaji Chauhan Mandir Delhi Darwaja Ahmedabad arranged Darshan of Shravan Vad Nom 2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *