તાલુકા-જિલ્લા ગાંધીનગરના પોર ગામ માં ઐતિહાસીક શ્રી હરસિદ્ધિ માતાજીનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદીર આવેલુ છે, જ્યાં કહેવાય છે કે શ્રી હરસિધ્ધિ માતાજી 300 વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, માતાજીની પ્રતિમા અહીંયા ખૂબ જ દિવ્ય અને તેજોમય સ્વરૂપમા પ્રતિષ્ઠિત છે, દર વર્ષે માર્ચ મહિનાની ચોથી તારીખે અહીંયા ભવ્યાતિભવ્ય જન્મ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ ભવ્ય જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં માતાજી ના જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ કરીને, ત્યાર બાદ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકલાડીલા કલાકાર એવા છોટે વિક્રમ ઠાકોર તથા સલોની ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે ઝુમી ઉઠયા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Harsidhdhi Mataji Por Gandhinagar Arranged Harsidhdhi Jayanti Mahotsav 04.3.2021