અમદાવાદના નિકોલ વિસ્તારમાં બાપા સીતારામ સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો સાતમો ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં બાપાસીતારામ સેવા સમિતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સાતમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૯ નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.જે સમૂહ લગ્નોત્સવ ને નિહાળવા માટે સમસ્ત ગુજરાત માંથી હજારો લોકો પધાર્યા હતા. આવેલા દરેક જાનૈયાઓ ઓનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંગલ ફેરા પછી, સમસ્ત પધારેલ મહેમાનોનો ભોજન સમારંભ યોજાયો હતો, જેમા લોકોએ પ્રેમથી ભોજન પ્રસાદનો આનંદ માણ્યો હતો, દરેક દંપતીઓને ઘરની તમામ ઘરવખરી ભેટ-સોગાદ તથા કરિયાવર રૂપે આપવામાં આવી હતી. સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે ઘણા રાજકીય તથા સામાજિક આગેવાનો પણ જોડાયા હતા જેમાં પૂર્વ આઇ.પી.એસ. શ્રી ડી.જી.વણઝારા, કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજસિંહ શેખાવત તથા સુરત સચીનથી શ્રી ધર્મેશભાઈ પણ પધાર્યા હતા.
આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકો જોડાયા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.