ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામ ખાતે ગામમાં પ્રવેશતાની સાથે જ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનુ ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે, જેનો ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી નવેમ્બર મહિનાની 6 થી 8 તારીખ દરમ્યાન યોજાવા જઈ રહ્યો, જેના ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આજરોજ ધર્મ ધ્વજા આરોહણનો કાર્યક્રમ યોજાયો હતો, તે નિમિત્તે ધર્મ ધજા આરોહણના યજમાન્ય શ્રી સુમનભાઈ પટેલના નિવાસ્થાને ધ્વજાની પુજા સહીત ભવ્ય શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હજારોની સંખ્યામાં ગ્રામજનોએ જોડાઈને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
આ ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક તથા સામાજિક સહિત ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશેષમાં ઉડતા હનુમાનજીના અવકાશી નજારા સહિત હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા તથા અંતિમ દિવસે સાળંગપુર હનુમાનજીની આબેહૂબ પ્રતિકૃતિ જેવી કષ્ટભંજન દેવની દિવ્ય અને ભવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, જેમાં સગા સંબંધીઓ, સ્નેહીજનો સહિત આજુબાજુના ગ્રામજનો અને રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી પ્રમુખશ્રી શ્રી અમૃતભાઈ પટેલ, મુખ્ય દાતા ભામાશા શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી નિલેશભાઈ પટેલ તથા શ્રી લલિતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Dharma Dhaja Aarohan on occasion of Shree Kashtbhanjan Dev Hanumanji Murti Pran Pratishtha Mahotsav Dingucha Kalol 21.07.2024
Dharma Dhaja Aarohan on occasion of Shree Kashtbhanjan Dev Hanumanji Murti Pran Pratishtha Mahotsav Dingucha Kalol 21.07.2024

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *