Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
કલોલ : નારદીપુર ગામ ખાતે ઐતિહાસિક શ્રી જોગણી માતાજીના નવીન મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ - online gujarat news

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે ઐતિહાસિક શ્રી જોગણી માતાજીનું બસ સ્ટેન્ડ નજીક જ મંદિર આવેલું છે, જેનો જીર્ણોદ્ધાર કરીને અત્યારે નવીન મંદિરની સ્થાપના કરવામાં આવી છે, જેના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજ થી પ્રારંભ થયો હતો, જેમાં આજરોજ પ્રાયશ્ચિત વિધિ બાદ રીબીન કાપીને યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ભવ્ય શોભાયાત્રા, રાસ ગરબા, આનંદ ના ગરબા સહિતના સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, તથા અંતિમ દિવસે માતાજીના નિજ મંદિર ખાતે દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં સમગ્ર ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાઈને માતાજીના દિવ્ય દર્શન કરીને ભોજન પ્રસાદનો લાહવો માણશે.

મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રાજેશભાઈ પટેલ તથા શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Jogani Mataji Pran Pratishtha Mahotsav Nardipur Kalol
Shree Jogani Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Nardipur, Kalol,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *