ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ભાટેરા ગામ ખાતે શ્રી નરનારાયણ દેવ દેશ તાંબાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાથોસાથ શ્રી ઘનશ્યામ મહારાજ તથા રાધાકૃષ્ણ દેવ અને શ્રી નર નારાયણ દેવ ખૂબ જ દિવ્ય પ્રતિમાઓમાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે નુતન મંદિરને 10 વર્ષ પૂર્ણ થતા અહીંયા દશાબ્દિ મહોત્સવ એટલે કે દશમા પાટોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે સંતો મહંતો સહિતની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રીદિવસિય મહોત્સવ 10 થી 12 ડિસેમ્બર દરમિયાન યોજાશે, જેમાં સામુહિક મહાપૂજા, સંતોના સન્માન, બહેન દીકરીઓના સન્માન સમારોહ તથા તેમને ભેટ સોગાદ આપવાનો સુંદર કાર્યક્રમ યોજાયો અને ગરબા મહોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી પ્રશાંતભાઈ પટેલ તથા શ્રી જાગૃતિબેન પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri Swaminarayan Mandir bhatera celebrated 10th patotsav 2023
Shree Swaminarayan Mandir, bhatera, 10th patotsav, 2023, Kathlal, Kheda,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *