ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના રામપુરા ગામ ખાતે ખુબ જં સુંદર અને ભવ્ય શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, મંદિર પ્રત્યે સમગ્ર ગ્રામજનોને અપાર શ્રદ્ધા અને આસ્થા છે અને એટલે જ ખાસ તો ભક્તોના પરદેશ જવાની મનોકામના માતાજી પૂર્ણ કરતા હોવાથી એમને “વિઝાવાળી મહાકાળી” તરીકે ઓળખવામા આવે છે.
મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ અવારનવાર કરવામાં આવે છે, જેમા માઈભક્તો દ્વારા 1 થી લઈને 15 કિલો ઘીની સુખડીનો પ્રસાદ તો દર મંગળવારે તથા રવિવારે ધરાવવામાં આવે જ છે, અને એજ રીતે કારતક સુદ ત્રિજનો અહીંયા ખુબ જં રૂડો મહિમા છે જ્યાં માતાજીના દિવ્ય સાનિધ્યમા દર વર્ષની જેમ ભવ્ય નવચંડી યજ્ઞ તથા બહેન દીકરીઓ તથા માતાઓના સન્માન અને રાત્રીના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રાસ ગરબાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહીત ખુબ જં મોટી સંખ્યામા ભાવીક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંત્રીશ્રી બિપીનભાઈ પટેલ દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mahakali Mandir Rampura Mansa Celebrated Bhavya Mahotsav on Kartak Sud Trij 16.11.2023
Shree Mahakali Mandir, Rampura, Mansa, Bhavya Mahotsav, Kartak Sud Trij, 16.11.2023, Raas Garba, Sagar Patel, Nachandi Yagn,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *