Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ગાંધીનગર : વલાદ ગામ ખાતે આવેલ શ્રી રામદેવપીર મંદિરના દિવ્ય મંદિરે યોજાયો ભવ્ય ૧૧મો પાટોત્સવ - online gujarat news


તાલુકા જિલ્લા ગાંધીનગરના વલાદ ગામ ખાતે નેશનલ હાઇવે ઉપર જ શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં શ્રી રામદેવજી મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેક ઉત્સવોની ઉજવણીઓ થાય છે, એ જ રીતે આસો વદ નોમનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં ભગવાનના દિવ્ય અને ભવ્ય 11 માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે સવારે મહાવિષ્ણુયાગનો પ્રારંભ થયો હતો તથા ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરસોલા સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાંજે સમગ્ર ગ્રામજનો સહિત પધારેલ દરેક આમંત્રિત મહેમાનો તથા ભાવિક ભક્તોના ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે તથા રાત્રિના ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર તેજલ ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબાની રમઝટ બોલવામાં આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કરશનજી જાદવ તથા શ્રી દિલીપભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Bhagvan Mandir Valad Gandhinagar Celebrated 11th Patotsav 06.11.2023

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *