ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઈશ્વરપુરા ગામમાં શ્રી મહાકાળી, અંબાજી તથા અર્બુદા માતાજીનું સુંદર મંદિર નિર્માણ પામ્યું છે, જેના દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી દૈવી ચારિત્ર કથા ની પોથીયાત્રાથી શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ સમગ્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 20 થી 24 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, શોભાયાત્રા, રાસ ગરબા, માતાજીની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા અને કથાનુ આયોજન કરવામા આવ્યું છે, જેમાં પરમ પૂજ્ય શ્રી રૂપેશભાઈ પંડ્યા (કાલી બાપુ) દ્વારા માતાજીના દિવ્ય ચરિત્રોનુ રસપાન કરવામા આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી સુરેશભાઈ ચૌધરી તથા શ્રી જયંતીભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mahakali Ambaji Arbuda Mataji Mandir Ishwarpura Badpura Arranged Pran Pratishtha Mahotsav
Shree Mahakali Ambaji Arbuda Mataji Mandir, Ishwarpura, Badpura, Mansa, Pran Pratishtha Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *