દસક્રોઈ : ગુજરાતના શ્રી ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજાયો ખોડીયાર જન્મ જયંતિ મહોત્સવ ૨૦૨૨

અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના કુજાડ ગામ ખાતે શ્રી ખોડિયાર માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર કઠલાલ હાઈવે પર જ આવેલું છે, જે મંદિર પ્રત્યે ભક્તોને અપાર અને શ્રદ્ધા અને આસ્થા છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, તે જ રીતે મહા સુદ આઠમ નો અનેરો મહિમા હોય છે, જ્યાં સવારથી જ ખોડીયાર જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે સવારે યજ્ઞ પૂજનનુ તથા બપોરે ભવ્યતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી અને કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી દિપકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri Khodiyar Mataji Mandir kujad arranged Khodiyar Jayanti Mahotsav 2022
Shri Khodiyar Mataji Mandir kujad, Kujad, Kheda, Dascroi, Khodiyar Jayanti Mahotsav, 2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *