સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલ ગામ ખાતે શ્રી ગિરીશભાઈ પટેલ તથા પરિવાર દ્વારા તેમના પિતાશ્રી સ્વ. રમેશભાઈ કાંતિભાઈ પટેલના પૂર્ણાર્થે ભવ્યતિભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જે કથા મહોત્સવ આજથી શરૂઆત થઇ ને 9 જાન્યુઆરી 2022 સુધી યોજાશે, જેમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા રાત્રીના ભવ્યાતી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવ્યુ છે, આજરોજ કથા મહોત્સવના પ્રથમ દિવસે ભવ્યાતિભવ્ય પોથીયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું કે સમસ્ત ગ્રામજનો તથા પરિવારજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા, સમગ્ર કથા દરમિયાન સુપ્રસિદ્ધ તે કથાકાર શ્રી ડૉ.જલ્પેશ મહેતા દ્વારા સુંદર કથાનું રસપાન કરવામાં આવશે. જેમાં સમસ્ત જીલ્લાના હજારો ભાવિક ભક્તો જોડાશે.
કથા મહોત્સવની સંપૂર્ણ જાણકારી શ્રી અશોકભાઈ પટેલ તથા મહારાજ શ્રી ડૉ. જલ્પેશ મહેતા દ્વારા આપવામાં આવી હતી.

જૂઓ સંપૂર્ણ એપિસોડ.
Shreemad Bhagvat Saptah Gyanyagn Kherol Talod 2022
Shreemad Bhagvat Saptah Gyanyagn Kherol, Kherol, તલોદ, સાબરકાંઠા, Sabarkantha, Dr. jalpesh Mehta,