ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામ મા ખૂબ જ રમણીય અને સુંદર વાતાવરણમાં જગત જનની મા મહાકાળીનુ ઐતિહાસિક અને ભવ્ય મંદિર આવેલું છે, લોકવાયકા પ્રમાણે મા મહાકાળી અહીંયા સદીઓથી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, આમ તો માતાજીનું મૂળ સ્થાનક રમણીય સાબરમતી નદીના કિનારે આવેલું છે, ત્યારબાદ પહાડ ઉપર માતાજીના ભવ્ય બીજા સુંદર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી, જે સ્થાપના ફાગણ સુદ પાંચમના રોજ ૨૦૧૨ની સાલમાં કરાઇ હતી અને એ જ તિથિ પ્રમાણે દર વર્ષે ફાગણ સુદ પાંચમના રોજ માતાજીના દિવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, આ વર્ષે પણ માતાજીના નવમા પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે સવારથી નવચંડી યજ્ઞ તથા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત માઇભકતો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની વિગત તથા કાર્યક્રમની માહિતી શ્રી રજનીકાંતભાઈ દવે શ્રી સર્વદમન સિંહ વાઘેલા તથા શ્રી ભરત ચાવડા દ્વારા આપવામાં આવી હતી.
તો આવો નવમા પાટોત્સવ ના રોજ દર્શન કરીએ ઐતિહાસિક મંદિર મીની પાવાગઢ અંબોડના


જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી મહાકાળી મંદિર (મીની પાવાગઢ) અંબોડ દ્વારા આયોજિત માતાજીનો નવ મો પાટોત્સવ ૨૦૨૧

Shri Mahakali Mandir Mini Pavagadh ambod arrange 9th Patotsav 2021

#minipavagadh #ambod #mahakalimandir #gandhinagar #mansa

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed