અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના નેસડા ગામ ખાતે શ્રી બાપા સીતારામનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદીર આવેલુ છે, જ્યાં બાપાસીતારામ ખૂબ જ તેજોમય અને દિવ્ય પ્રતિમામા બિરાજમાન છે, અહીંયા આ સ્થળ ઉપર માત્ર એક મઢુલી જ હતી, ત્યાર બાદ ૨૦૧૨મા ફાગણ સુદ પાંચમના રોજ અહીંયા ભવ્યાતિભવ્ય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા કરવામા આવી ત્યારથી દર વર્ષે તિથી પ્રમાણે અહીંયા અલગ અલગ કથાઓ કરીને ભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામા આવે છે, આ વર્ષે પણ એજ રીતે દિવ્ય નવમા પાટોત્સવની ઉજવણી કરવામા આવી હતી જેમા ૦૭/૦૩/૨૦૨૧થી અહીંયા દેવી ભાગવદ કથાનુ કરવામા આવ્યું હતુ જે કથા ૧૭/૦૩/૨૦૨૧ના રોજ પુર્ણાહુતી કરવા આવી હતી ત્યારબાદ ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરાયુ હતું, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


આવતી કાલે ફાગણ સુદ પાંચમના દિવસે મહાયજ્ઞનું આયોજન કર્યા બાદ મહાપ્રસાદ તથા રાત્રીના ભવ્ય લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશે ની માહિતી કાર્યક્રમની વિગત શ્રી સતિષભાઈ પરમાર તથા ખોડુભાઈ ચૌહાણ અને અરવિંદભાઈ ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી


જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી બાપા સીતારામ સેવા આશ્રમ ટ્રસ્ટ નેસડા દ્વારા આયોજિત શ્રી બાપાસીતારામ મૂર્તિ મંદિરનો નવમો પાટોત્સવ ૨૦૨૧

Shree Bapasitaram Seva Trust Nesda arranged 9th Patotsav Shree Bapasitaram Murti Mandir 2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *