હિંમતનગરમાં ગાયત્રી મંદિર રોડ ખાતે જગત જનની શ્રી ઉમિયા માતાજીનું ખૂબ જ ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગયા વર્ષે ફાગણ સુદ ત્રીજના રોજ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવ્યો હતો, એક વર્ષ પૂર્ણ થતાં આજે માતાજી ની તિથિ પ્રમાણે ફાગણ સુદ ત્રીજના રોજ પ્રથમ પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, આમ તો આ આયોજન ભવ્યાતિભવ્ય રીતે કરવામા આવવાનું હતું પણ આ કોરોના મહામારીને લીધે સંપૂર્ણ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો માત્ર હવન પૂજનનુ જ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીમિત સંખ્યામાં લોકો જોડાયા હતા.
મંદિરમાં ધાર્મિક ની સાથે સાથે સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ પણ યોજાય છે તેની સંપૂર્ણ માહિતી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Umiya Mataji Mandir Himatnagar arranged 1st Patotsav 16.0.2021