મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામ માં શ્રી નીલકંઠ મહાદેવનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર પરિસરમાં નાના-મોટા બીજા દેવળો પણ આવેલા છે, સમસ્ત ગામજનો દ્વારા આ વર્ષે મહા શિવરાત્રી મહોત્સવ 2021 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે યજ્ઞ શાળાનો પ્રારંભ થયો હતો તથા પાલખીયાત્રા ને જલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દ્રિતીય દિવસે સાંજે ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરીને ભસ્મ આરતી કરવામાં આવી હતી, તથા દ્વિતીય દિવસે સમગ્ર ભૂદેવોના મંત્રોરચાર સાથે ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય લઘુરુદ્ર યાગની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ગામના શ્રી વાસુભાઈ ચૌધરી તથા શ્રી શૈલેષભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Neelkanteshwar Mahadev Mandir Gunja Visnagar arranged Mahashivratri Mahotsav 2021