અમદાવાદના થલતેજ ગામ વિસ્તારમાં રબારીવાસ ખાતે જગત જનની શ્રી મેલડી માતાજીનુ ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી મેલડી માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, મંદિર સમગ્ર શહેરમાં “મયુર મેલડી” તરીકે ખૂબ જ પ્રખ્યાત છે, માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે એ જ અર્થે શ્રદ્ધાથી મનોકામના પૂર્ણ થવાથી અહીંયા માતાજીના સેવક શ્રી મયુરભાઈ દેસાઈ ના સાનિધ્યમાં ભવ્ય શોભાયાત્રા તથા મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
મંદિરના ઈતિહાસ ની વિગત અને કાર્યક્રમની માહિતી માતાજીના સેવક શ્રી મયુરભાઈ દેસાઈ શ્રી કનુભાઇ દેસાઇ તથા શ્રી વિક્રમભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
શ્રી મેલડી માતાજી મંદિર, થલતેજ દ્વારા આયોજીત
ભવ્ય શોભાયાત્રા તથા મહાયજ્ઞ
Shree Meldi Mataji Mandir Thaltej Arranged Bhavya Shobhayatra and Mahayagn 07.03.2021