તાલુકા-જિલ્લા ગાંધીનગરના ઉવારસદ ગામમાં રાણજીપુરા વિસ્તારમા શ્રી બળિયાદેવજી મહારાજનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી બળીયાદેવજી મહારાજ તથા શ્રી મોતીજરા મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, દર વર્ષે માર્ચ મહિનાની ૫ તારીખે અહીંયા ભવ્યાતિભવ્ય પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે એ જ રીતે આ વર્ષે પણ છઠ્ઠા પાટોત્સવની ઊજવણી કરવામાં આવી હતી, જે નિમિત્તે યજ્ઞ તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
કાર્યક્રમની વિગત ગામના શ્રી હર્ષદભાઈ ઠાકોર તથા શ્રી બાલુસંગ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
#baliydevmandir #ranjipura #uvarsad
#onlinegujaratnews