ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામા સરગુડી ગામ આવેલુ છે, જ્યાં અલખના ઓટલા ખાતે શ્રી મહીસાગર માતાજી તથા શ્રી ગોગા મહારાજનુ સુંદર મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૧૩.૦૨.૨૦૨૧ના રોજ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો હતો, જ્યાં સમગ્ર રાજ્યમાથી સંતો મહંતોએ પધારી આશીર્વાદ આપ્યા હતા, અને શુભ દીને માગશર સુદ બીજના રોજ ૧૨.૩૯ કલાકે મૂર્તિઓની સ્થાપના કરવામા આવી હતી.
સાથે સાથે શ્રી રામદેવપીર મહારાજના મંદિરનુ આજ સ્થળે ભવ્યાતિભવ્ય આયોજન કરવામા આવી રહ્યુ છે, જેની શિલાન્યાસ વિધિ પણ અહીંયા આજરોજ યોજયી હતી, જેમા રાજસ્થાનના રણુજાથી શ્રી રામદેવપીર મહારાજના વંશજ શ્રી રામદેવપીરનો નેજો લઈને પધાર્યા હતા.
સમગ્ર કાર્યક્રમની માહિતી મંદિરના શ્રી પ્રહલાદસિંહ રાઠોડ દ્વારા આવી હતી.
સંપૂર્ણ કાર્યક્રમનુ લાઈવ મીડિયા પ્રસારણ ઓનલાઇન ગુજરાત ન્યૂઝની ચેનલ પર કરાયુ હતુ, જુઓ સંપૂર્ણ લાઈવ પ્રસારણ
એના સિવાય આપ યુટ્યુબ પર પણ આ લાઈવ મીડિયા કવરેજ નિહાળી શકશો. જેના માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને સબ્સ્ક્રાઇબ કરો યુટ્યુબ ચેનલ Online Gujarat News