મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામમા ૯૦૦ વર્ષ પુરાણું એવું ઐતિહાસિક અને પૌરાણિક શિવ મંદિર આવેલું છે, જેને સોમનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, આ મંદિર ખુબ જ જુનુ હોવાને કારણે ગ્રામજનો ની પ્રેરણાથી મંદિરનો જીર્ણોધ્ધાર કરવામા આવ્યો છે અને આ સ્થળે અત્યારે હાલ ખુબ જ સુંદર શિવાલયનું નિર્માણ થયું છે, સમસ્ત ગ્રામજનો દ્વારા આ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે ભવ્યાતિભવ્ય મહારુદ્ર યાગ પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે, જે પ્રસંગ 8 અને ૯ ફેબ્રુઆરી 2021 દરમિયાન ખૂબ જ ભવ્યતાથી યોજાશે, જેમાં સમસ્ત ગ્રામજનો ખુબ જ હર્ષોલ્લાસ સાથે જોડાશે.


મંદિર ના પરિસરમા શ્રી શિવપુરી મહારાજ ની જગ્યા, શ્રી મહાકાળી માતાજીનું સ્થાનક, શ્રી શીતળા માતાજી, શ્રી બળિયાદેવજી, શ્રી હનુમાનજી મહારાજ અને શ્રી કાલ ભૈરવજી મહારાજનુ પણ સુંદર મંદીર આવેલુ છે.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના માજી સરપંચ શ્રી કચરાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં શિવભક્ત શ્રી બળદેવભાઇ પટેલ તથા શ્રી રાકેશભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.


તો આવો દિવ્ય દર્શન કરીએ જંત્રાલ ગામ ના શ્રી સોમનાથ મહાદેવ મંદિર તથા ત્યા યોજાયી રહેલ મહારુદ્ર યાગ ના


જુઓ સંપૂર્ણ એપિસોડ.

OnlineGujaratNews

GujaratNews

Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *