અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિનો ભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં કુલ ૧૧ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા, કાર્યક્રમમા સમી સાંજે ભવ્યાતીભવ્ય વરઘોડાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧ વરવધુને શણગારેલા હાથી, ઘોડા તથા ડોલીમાં લગ્ન મંડપમાં લાવવામાં આવ્યા હતા, જયાં દરેક યુગલોની લગ્ન વિધિ યોજાઈ હતી ત્યારબાદ સંતો-મહંતો તથા મહેમાનશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો અને પછી સુંદર ભેટસોગાદ આપીને કન્યાઓને વિદાય અપાઈ હતી જેમાં હજારોની જનમેદની નવયુગલોને આશીર્વાદ આપવા માટે જોડાઈ હતી.

પધારેલ સંતો મહંતોમા પરમ પૂજ્ય શ્રી રમણ માડી, કૈયલ તથા શ્રી લાલાકાકા (માતાજી), બાપુનગર દ્વારા સમસ્ત યુગલો તથા સંસ્થાના આગેવાનોને આશીર્વાદ અને અભિનંદન આપ્યા હતા.

કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના શ્રી કેતનભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ.

ભીમરાવ વાંચનાલય ચેરીટેબલ ટ્રસ્ટ, બાપુનગર, અમદાવાદ દ્રારા આયોજીત
અનુસૂચિત જાતીના ૧૧ નવયુગલોનો ભવ્યાતિભવ્ય સમૂહ લગ્નોત્સવ ૨૧.૦૨.૨૦૨૦

Bhimrao Vanchanalaya Charitable Trust Bapunagar Arranged Bhavya Samuh Lagnotsav of 11 Couples of Schedule Cast 21.02.2020

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *