Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
મહેસાણા : ખેરવા ગામ ખાતે દેવીપુજક સમાજ દ્વારા નવનિર્માણ પામેલ શ્રી ખોડીયાર માતાજીના દિવ્ય મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ ભવ્ય આયોજન - online gujarat news

તાલુકા જિલ્લા મહેસાણાના ખેરવા ગામ ખાતે દેવીપુજક વાસમા દેવીપુજક સમાજ દ્વારા શ્રી ખોડીયાર માતાજીનું ભવ્ય મંદિર નવનિર્માણ પામેલ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
આજ બે દિવસનો કાર્યક્રમ 13 તથા 14 મે દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે શોભાયાત્રા તથા રાત્રિના ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકાર શ્રી રાજભા ગઢવી દ્વારા માતાજીના સુંદર ગુણલા ગાવામાં આવશે તથા દ્વિતીય દિવસે વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞ પૂજન સાથે આઈ શ્રી ખોડીયાર માતાજી, શ્રી સેધુ માતાજી, શ્રી મેલડી માતાજી તથા દેવીપુજક સમાજના અગ્રણી પૂર્વજ અજાભાની દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી બાબુભાઈ ચેલાભાઈ તથા શ્રી મનોજભાઈ જોશી અને શ્રી રોહિતભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Devipujak Samaj Arranged Shree Khodiyar Mataji Pran Pratishtha Mahotsav Kherva Mehsana
Devipujak Samaj Kherva, Kherva, Shree Khodiyar Mataji, Pran Pratishtha Mahotsav, Kherva, Mehsana, Sendhu Mataji, Meldi Mataji, Rajbha Gadhavi,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *