Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
હિંમતનગર : હરિૐ કંપા ગામ ખાતે શ્રી નિષ્કલંકી નારાયણ ધામ જ્યોતિ મંદિરના સિંહાસન પ્રતિષ્ઠા વિધિનુ ભવ્ય આયોજન - online gujarat news

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હરીૐ કંપા ગામ ખાતે શ્રી નિષ્કલંકી નારાયણ જ્યોતિ મંદિર નિર્માણ પામ્યું છે, અત્યારે જેનો દ્વિદિવસીય સિંહાસન પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેના આજરોજ પ્રથમ દિવસે આજે યજ્ઞ પૂજન સહીત બહેન દીકરીઓના સન્માન સમારોહ તથા ભેટ સોગાત અર્પણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમા હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સાહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ પ્રતિષ્ઠા મહોત્સવ 13 તથા 14 મે દરમિયાન યોજાશે, જેમાં દ્રિતીય દિવસે સવારે ભવ્ય શોભાયાત્રા સહીત નિજ મંદિરમાં સિંહાસન પ્રતિષ્ઠા વિધિનો કાર્યક્રમ તથા પૂજન અર્ચન યોજાશે, જેમાં પરમ પૂજ્ય જગદગુરુ શ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ સહિત અનેક સંતો મહંતો તથા ભક્તજનો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી પરેશભાઈ ધોળુ, કચ્છ કડવા પાટીદાર સમાજ, ખેડબ્રહ્મા વડાલી ઇડર વિજયનગર વિભાગના મંત્રીશ્રી દિનેશભાઈ માકાણી, મનસા ધ્યાન કેન્દ્ર પ્રેરણાપીઠ પીરાણા ના શ્રી શાંતિભાઈ ભગત, નાણાં ફાર્મ રાજસ્થાનના શ્રી વંશરામભાઈ પોકાર તથા શ્રી અરવિંદભાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Nishkalanki Narayan Jyoti Mandir Sinhasan Pratishtha Vidhi Mahotsav Hari om Kampa Himatnagar Sabarkantha
Shree Nishkalanki Narayan Jyoti Mandir, Sinhasan Pratishtha Vidhi Mahotsav, Hari om Kampa, Himatnagar, Sabarkantha,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *