ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ખાટાઆબા ગામમા શ્રી અર્બુદા માતાજીનુ ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી અર્બુદા માતાજી ખુબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, કહેવાય છે કે ગુજરાતમાં આ અર્બુદા માતાજી નું પ્રથમ મંદિર છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વખતે પણ ભવ્ય ૧૫મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ મહાયજ્ઞ અને માતાજી ના જન્મદિવસ નિમિત્તે કેક કટીંગ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સમસ્ત ભાઈઓ-બહેનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ટ્રસ્ટી શ્રી શંકરભાઈ ચૌધરી તથા શ્રી કાંતિભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હત, જ્યાં આ વરસના મહોત્સવના મુખ્ય દાતા શ્રી મસોતભાઈ ચૌધરી (પિતા શ્રી અશોકભાઈ ચૌધરી USA) પણ હાજર રહ્યા હતા.


તો આવો ૧૫મા પાટોત્સવના દિવસે દિવ્ય દર્શન કરીએ ખાટાઆંબા ખાતે બિરાજમાન શ્રી અર્બુદા માતાજીના


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Arbuda Mataji Mandir Khataamba arranged 15th Patotsav 01.03.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *