તા. ૧૧ જાન્યુઆરી – ૨૦૨૦
ગાંધીનગરમા શ્રી આંજણા (ચૌધરી) સેવા મંડળ દ્વારા ભવ્ય શ્રી અર્બુદા અતિથિ ભવનનુ લોકાર્પણ તથા સ્નેહ મિલન સમારોહ યોજાયો.
——————————–
સ્નેહ મીલન સમારોહમાં તેજસ્વી વિઘાર્થીઓ, અઘિકારીઓ તથા ભવનના દાતાઓનું સન્માન કર્યું.
———————————
ગાંધીનગર : ગાંધીનગરમાં વસતા ચૌઘરી સમાજ દ્વારા ગ-૩ થી ખ-૩ વચ્ચે, વાવોલ રોડ, ગાંધીનગર ખાતે શ્રી અર્બુદા અતિથિ ભવનના નવીન મકાનનું ઉદૂઘાટન તા. ૧૧મી જાન્યુઆરી, ૨૦૨૦, શનિવારના રોજ સવારે ૮.૦૦ કલાકે સંતોના પાવન પગલા સાથે કરવામા આવ્યુ હતુ.
શ્રી આંજણા ( ચૌઘરી ) સેવા મંડળ, ગાંઘીનગર પ્રમુખ શ્રી કનુભાઇ ડી. ચૌઘરી ( પ્રમુખગ્રૃપ) તથા મહામંત્રી શ્રી સતીષભાઇ ચૌઘરીએ જણાવ્યા અનુસાર
શ્રી અર્બુદા અતિથિ ભવન ઉદૂઘાટન બાદ બપોરે ૩.૦૦ કલાકે પ્રમુખ ગ્રીન પાર્ટી પ્લોટ, ગાંધીનગર ખાતે સ્નેહ મિલન સમારંભ યોજાયો. આ સમારંભના અઘ્યક્ષ સ્થાને બનાસ ડેરીના ચેરમેન અને પૂર્વ મંત્રી શ્રી શંકરભાઇ ચૌઘરી ઉપસ્થિત રહ્યા. મુખ્ય મહેમાન તરીખે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શેઠ શ્રી હરિભાઇ વી. ચૌઘરી, વરિષ્ઠ પત્રકાર શ્રી દેવેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા. જયારે અતિથિ વિશેષ તરીકે ઘાનેરાના ઘારાસભ્ય શ્રી નાથાભાઇ પટેલ, દિયોદરના ઘારાસભ્ય શ્રી શિવાભાઇ ભુરીયા, ગાંધીનગર અખિલ આંજણા કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ શ્રી મણીભાઇ કે. ચૌઘરી ઉપસ્થિત રહ્યા.
આ અંગે સ્નેહમિલન કાર્યક્રમમાં તેજસ્વી વિઘાર્થીઓ વર્ગ-૧ ના અઘિકારીઓ, ર્ડાકટરો તથા ખાસ એવોર્ડ વિજેતાઓ અને અર્બુદા અતિથિ ભવનના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.
———————————————-