અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામ ખાતે ઐતિહાસિક શ્રી નેમનાથ મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, આ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને અહીંયા નવીન મંદિરની સ્થાપના કરવામાં આવી છે, જેના ત્રીદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું અત્યારે આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે દ્વિતીય દિવસે ગામમાં ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 24 થી 26 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસથી યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો તથા ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય દિવસે સમગ્ર ગામમાં ભગવાન તથા માતાજીની દિવ્ય પ્રતિમાઓની નગરયાત્રા થઈ હતી તથા અંતિમ દિવસે દરેક દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવશે તથા સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ યોજાશે જેમાં સમગ્ર નગરજનો તથા સંતો મહંતો અને સામાજિક અને રાજકીય અગ્રણીઓ જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી વિજયસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Nemnath Mahadev Sanathal Sanand Arranged Jirnodhdhar Pran Pratishtha Mahotsav 2024
Shree Nemnath Mahadev, Sanathal, Sanand, Jirnodhdhar, Pran Pratishtha Mahotsav, 2024, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *