ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચામલા ગામ ખાતે આઈ શ્રી ખોડીયાર માતાજીનું ખૂબ જ મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી ખોડીયાર માતાજીની સાથોસાથ શ્રી સધી માતાજી તથા શ્રી મેલડી માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, માતાજી પ્રત્યે લોકો જ ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે, તેથી જ અહીંયા ખૂબ જ દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારે છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આજરોજ અહીંયા પાંચમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ તથા રાત્રીના ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત માતાજીના સેવક શ્રી ભગવાનસિંહ ડાભી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Aaishree Khodiyar Mataji mandir Chamla celebrated 5th Patotsav 19.03.2023
Aaishree Khodiyar Mataji mandir, Chamla, 5th Patotsav, 19.03.2023,