પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે, જેનો ત્રિદીવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત યજ્ઞ પૂજન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રીદિવસ કાર્યક્રમ દરમિયાન રાત્રિના સંતવાણી તથા સત્સંગ અને ત્રણ દિવસના ભોજન સમારંભનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, તથા અંતિમ દિવસે શ્રી રામદેવપીર ભગવાન સહિત અન્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી મેરામભાઇ ઝાલા ભગત, શ્રી ગોગાભાઈ ઠાકોર, શ્રી લાભુજી ઠાકોર, શ્રી પ્રહલાદભાઈ સાધુ તથા શ્રી થારશીભાઈ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Murti Pran Pratishtha Mahotsav Pedashpura Radhanpur
Shree Ramdevpir Mandir Murti Pran Pratishtha Mahotsav Pedashpura Radhanpur

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *