પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસાઈપુરા ગામ ખાતે ગામ દેવી શ્રી ખોડીયાર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી ખોડીયાર માતાજી વર્ષોથી બિરાજમાન છે, સમસ્ત ગામના પરિવારો અને ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી શ્રી ખોડીયાર માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરીને અહીંયા નૂતન ભવ્ય અને સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, જેનો ત્રિદીવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જેના ભાગરૂપે આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય કાર્યક્રમ 8 થી 10 મે 2023 દરમિયાન યોજાશે, જેમાં યજ્ઞ પૂજન સહિત રાત્રિના રાસ ગરબા તથા ડાયરા જેવા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા 10મી મેના રોજ અંતિમ દિવસે શ્રી ખોડીયાર માતાજીની દિવ્ય પ્રતિમાની સાથોસાથ શ્રી ઉમિયા માતાજી, શ્રી હનુમાનજી તથા શ્રી ગણેશજીની દિવ્ય મૂર્તિઓની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તથા સાંજે યજ્ઞ પૂર્ણાહુતિ અને સમસ્ત ગ્રામજનોના ભોજન સમારંભનું ત્રિદિવસીય સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી આશિષભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Khodiyar Mataji Mandir Vasaipura Murti Pran Pratishtha Mahotsav 2023
Shree Khodiyar Mataji Mandir Vasaipura, Vasaipura, Chanasma, Murti Pran Pratishtha Mahotsav, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *