અમદાવાદ નજીકના વસ્ત્રાલ ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જે મંદિરમાં શ્રી રામ પરિવાર, શ્રી અંબાજી માતાજી તથા શ્રી રાધાકૃષ્ણજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠાનુ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 8 થી 10 ફેબ્રુઆરી 2023 દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું તથા દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન તથા તૃતીય અને અંતિમ દિવસે દિવ્યકમૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા સહિત સાંજે યજ્ઞ પૂર્ણાહુર્તિ કરવામાં આવશે તથા રાત્રિના ભવ્ય લોક ડાયરાનુ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પધારશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત યજ્ઞના આચાર્ય શ્રી દિવ્યેશભાઈ ભટ્ટ તથા શ્રી ચંદુજી અને શ્રી વીરસંગભાઈ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Pran Pratishtha Mahotsav at Shree Ramdevpir Mandir Vastral Gaam Ahmedabad


Pran Pratishtha Mahotsav, Shree Ramdevpir Mandir, Vastral Gaam, Ahmedabad, Shree Ram Parivar, Shree Ambaji, Shree Radha Krishna,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *