આજ રોજ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ, વસ્ત્રાલ દ્વારા ભવ્યાતિભવ્ય સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં દીપ પ્રાગટ્ય બાદ પધારેલ મહેમાનશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો, તથા ભવ્ય રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં પૂર્વ ગૃહ મંત્રી તથા ધારાસભ્ય શ્રી પ્રદિપસિંહજી જાડેજા, સાંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ તથા અનેક સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પાટીદાર બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખશ્રી આર. પી. પટેલ તથા ઉપપ્રમુખ શ્રી વાડીભાઈ પટેલ તથા કાઉન્સિલર શ્રી પરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Uttar Gujarat Patidar Samaj Vastral Ahmedabad Arranged Bhavya Sneh Milan Samaroh 09.10.2022
Uttar Gujarat Patidar Samaj Vastral, Vastral, Ahmedabad, Sneh Milan Samaroh, 09.10.2022,