સમગ્ર દેશમાંથી પદયાત્રીકો ભાદરવી પૂનમના મેળામાં મોટા અંબાજી ખાતે પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે આ પદયાત્રીકોની સેવા અર્થે અનેકવિધ સેવા કેન્દ્રોનુ આયોજન કરવામાં આવ્યું છે, એ જ રીતે પ્રાંતિજ તાલુકાના પીલુદરા ગામ ખાતે વિનય પેટ્રોલ પંપ ની બાજુમાં અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના ભુવાલડી ગામના શ્રી જગદીશભાઈ ઠાકોર દ્વારા ભવ્યથી ભવ્ય અને વિશાળ સેવા કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંબાજી જતા પદયાત્રીઓ માટે અતિ સુંદર રહેવાની તથા જમવાની ભોજન વ્યવસ્થાનુ આયોજન કરવામાં આવ્યું છે, ત્રણથી ચાર દિવસ ચાલતા આ સેવા કેમ્પમાં 24 કલાક અવિરત સેવાઓ પૂરી પાડવામાં આવે છે, જેમાં ભોજનમાં શુદ્ધ ઘી થી બનેલા લાડુ અને ગરમા ગરમ અને તાજુ શાક-પુરી અને દાળ ભાત પદયાત્રીકોને હર્ષભેર પીરસવામાં આવે છે, જેનો હજારો માઇ ભક્તો ખુબ જ આનંદ ઉલ્લાસ સાથે લાભ લે છે, આ કેમ્પમાં દરેક પદયાત્રીકો માટે રહેવાની અને સુવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.


કાર્યક્રમની સંપૂર્ણ વિગત આયોજક શ્રી જગદીશભાઈ ઠાકોર તથા શ્રી કેવલજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Jagdishbhai Thakor Bhuvaladi Dascroi Arranged Annapyrna Seva Camp at Piludra Prantij for Ambaji Padyatrik

Shree Jagdishbhai Thakor, Bhuvaladi, Dascroi, Ahmedabad, Annapyrna Seva Camp, Piludra, Prantij,Ambaji Padyatrik,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *