વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ ગામના તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકો ના કરૂણ મોત થતા ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. મૃતક બાળકોનો પરિવાર મૂળ બોટાદ જિલ્લાના જિંજાવદર ગામનો હોવાની વિગતો જાણવા મળી છે. ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે.


વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં ગૌચર વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના 3 ભાઈઓ મધુર સુરેશભાઈ સાનિયા(ઉ.13), ધ્રુવ સુરેશભાઈ સાનિયા(ઉ.10) અને ઉત્તમ સુરેશભાઇ સાનિયા(ઉ.08) મંગળવારે સવારે ગુમ થઈ ગયા હતા. જેને પગલે પરિવાજનોએ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. જોકે બાળકો મળ્યા નહોતા. આજે સવારે કોલીયાદ ગામના તળાવમાં બાળકોના મૃતદેહ જોવા મળ્યા હતા પરિણામે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.


આ ઘટના ને પગલે ભારે ચકચાર મચી ગઈ હતી.


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *