કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને કારણે આ વર્ષે રાજ્યમાં નવરાત્રી યોજવી કે નહી તે અંગેની વિચારણા હાલ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ નાયબ પ્રધાન નિતીન પટેલ દ્વારા રાજ્યમાં નવરાત્રીના આયોજનને લઇને મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

આજ રોજ પત્રકારો સાથે વાત કરતા નાયબ પ્રધાન નિતીન પટેલે કહ્યું કે, ગુજરાતમાં નવરાત્રીના ઉત્સવનું ખુબ મહત્વનું છે. નવરાત્રીમાં મોટી સંખ્યમાં લોકો ગરબે ઘુમવા માટે આતુર હોય છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને જોતા, નામદાર સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા તથા ભારત સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવી છે. તે ગાઈડલાઈનની મર્યાદામાં કેવી રીતે અને કેટલા સમય માટે લોકો ગરબા રમી શકે તથા નવરાત્રીમાં ઉત્સાહ પુર્વક ભાગ લઇ શકે તે અંગેની વિચારણા ગુજરાત સરકાર કરી રહી છે. ત્યારે યોગ્ય સમયે સરકાર દ્વારા આ મુદ્દે જાહેરાત પણ કરવામાં આવશે.

 

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

#ગુજરાત ના મંદીર
#Gujarat na Mandir
#Gujarat ke Mandir.

 

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *