અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં એકતા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય પાંચમા સમગ્ર અનુસુચિત જાતીના સમૂહ લગ્નનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સાંજે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઈ હતી ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના ભવ્ય સ્વાગત વિધિ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષ ઉલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓમા કોંગ્રેસના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ પરમાર તથા સામાજિક અગ્રણીઓ સહિત કાઉન્સિલર શ્રીઓએ હાજર રહીને નવયુગલોને આશિષ આપ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી પ્રમુખશ્રી બાબુભાઈ રૂપાલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Ekta Jan Kalyan Seva Trust Arranged 5th Samuh Lagnotsav 10.05.2024
Ekta Jan Kalyan Seva Trust, 5th Samuh Lagnotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *