અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના બાકરોલ બુજરંગ ગામ ખાતે શ્રી નરનારાયણ દેવ દેશા તાબાનું ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં વર્ષોથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, તે જ રીતે અહીંયા ભવ્ય અને દિવ્ય શ્રીમદ ભાગવદ સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા હાથીજણ ના પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રીજી સ્વામી દ્વારા પાવન કથાનું રસપાન કરાવાયુ હતુ જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ કથા મહોત્સવ 28 ડિસેમ્બર 2023 થી શરૂઆત થઈને 3 જાન્યુઆરી 2024 ના રોજ વિરામ પામી હતી, જ્યાં શ્રી બહુચર માતાજી મંદિરના દિવ્ય પ્રાંગણમા કૃષ્ણ જન્મોત્સવ, સુદામાચરિત્ર તથા રૂક્ષ્મણી વિવાહ જેવા ભવ્ય કાર્યક્રમો અને દિવ્ય પ્રસંગો પણ આયોજન કરવામાં આવ્યા હતા તથા અંતિમ દિવસે સમગ્ર ગ્રામજનોના ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના સરપંચ શ્રી પૃથ્વીસિંહ સોલંકી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Swaminarayan Mandir Bakrol Bujarang Arranged Shreemad Bhagvat Saptah Parayan 2023
Shree Swaminarayan Mandir, Bakrol Bujarang, Naranarayan Dev, Shreemad Bhagvat Saptah Parayan, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *