અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમ ખાતે ગુજરાત કોળી અને ઠાકોર સમાજના સંગઠનો દ્વારા ભવ્ય પ્રથમ રાજસ્વી સન્માન તથા માંધાતા એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તારલાઓ તથા રત્નોને સન્માનવામા આવ્યા હતા. કાર્યક્રમમા પ્રથમ દીપ પ્રાગટ્ય બાદ પધારેલ મહેમાનશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો હતો અને ત્યારબાદ સમાજ રત્નોને માંધાતા એવોર્ડ દ્વારા સન્માનવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં રાજકીય તથા સામાજિક અગ્રણીઓ સંતો મહંતો અને સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત મહામંડલેશ્વર ૧૦૦૮ પરામપુજ્ય શ્રી ઋષિ ભારતીબાપુ, નોરતા આશ્રમથી પરમ પૂજ્ય શ્રી દોલતરામ બાપુ તથા આયોજક શ્રી શોધનભાઈ ઝોરા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.

Rajasvi Sanaman and Mandhata Award Samaroh of Gujarat Koli and Thakor Samaj at Bharti Ashram Sarkhej Ahmedabad


Rajasvi Sanaman, Mandhata Award Samaroh, Gujarat Koli Samaj, Gujarat Thakor Samaj, Bharti Ashram, Sarkhej, Ahmedabad, Koli Samaj, Thakor Samaj,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *