ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ભાવપુરા ગામ ખાતે શ્રી નરનારાયણ દેશ તાબાનુ ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલું છે, જ્યાં શ્રી ઘનશ્યામ મહારાજ તથા શ્રી નરનારાયણદેવ અને રાધાકૃષ્ણ દેવ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને 15 વર્ષ પૂર્ણ થતા અહીંયા ભવ્યથી ભવ્ય પંચ દશાબ્દિ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે અહીંયા ભવ્ય મહા વિષ્ણુ યાગ તથા કથા મહોત્સવ અને ભવ્ય શોભાયાત્રા નું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં સંતો મહંતો તથા ભાવિ ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત હરિભક્ત શ્રી નટવરભાઈ પટેલ તથા શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મનંદનદાસજી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shri Swaminarayan Mandir bhaupura Kalol celebrated 15th patotsav panchdhasabdi Mahotsav


Shri Swaminarayan Mandir, bhaupura, Kalol, 15th patotsav, panchdhasabdi Mahotsav,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *