આણંદ શહેરમાં બોરસદ ચોકડી નજીક આવેલા ઉમા ભવનના સંકુલમા સુંદર શ્રી ઉમિયા માતાજી તથા શિવ મંદિર નિર્માણ પામ્યા છે, જેનો ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઇ રહ્યો છે, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨ થી ૪ ઓગસ્ટ દરમિયાન યોજાશે, આજરોજ જેના પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહોત્સવના દ્વિતીય દિવસે ભવ્ય શોભયાત્રા તથા જલયાત્રા અને અંતિમ દિવસે નવ્ય, દિવ્ય અને ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, જેમા સામાજીક અગ્રણીઓ, સાધુ સંતો અને હજારોની સંખ્યામા સમાજબંધુઓ જોડાશે.


મહોત્સવ દરમિયાન અનેકવિધ સાંસ્કૃતિક તથા સામાજિક કાર્યક્રમનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં વડીલ વંદના કુમારીકાઓની વંદના તથા રાસ ગરબા અને ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા સંસ્થા વિશેની વિગત મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા પ્રમુખશ્રી તેજાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Kutch Kadva Patidar Samaj Anand Arranged Murti Pran Pratishtha Mahotsav of Shree Umiya Mataji Tatha Shree Shiv Mandir 2022.

Shree Kutch Kadva Patidar Samaj Anand, Anand, Murti Pran Pratishtha Mahotsav, Shree Umiya Mataji Mandir, Shree Shiv Mandir,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *